Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

સુપ્રસિધ્‍ધ નૃત્‍યકાર મૃણાલીની સારાભાઇનું નિધન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જાણીતા અણુવૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇના પત્‍નિ હતા

જાણીતા નૃત્‍યકાર, કોરિયોગ્રાફર અને લેખિતા મૃણાલીની વિક્રમ સારાભાઇનું આજે લાંબી માંદગી બાદ નિધન થયું છે. મૃણાલીનીબેન છેલ્લા કેટલાક સમયથી હોસ્‍પિટલમાં દાખલ હતા. ૯૭ વર્ષના આ પ્રસિદ્ધ નૃત્‍યાંગનાનું આજે સવારે હોસ્‍પિટલમાં જ નિધન થયું હતું.

તેઓ વિક્રમ સારાભાઇના પત્‍ની તેમજ મલ્લિકા સારાભાઇના માતા હતા. આજે સાંજે ૫ વાગ્‍યે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.
  
મૃણાલીની સારાભાઇને ભારત સરકાર તરફથી ૧૯૯૨માં નેશનલ સિવિલીયન એવોર્ડ્‍સ પદ્મભૂષણ અને ૧૯૬૫માં પદ્મશ્રીનો એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

તેઓ ભારતના એકમાત્ર એવાં ક્‍લાસિકલ નૃત્‍યાંગના હતા જેમણે ૧૮૦૦૦દ્મક પણ વધારે વિદ્યાર્થીઓને ભરતનાટ્‍યમ તેમજ કથ્‍થકલી નૃત્‍યની તાલિમ આપી હતી.
  
મૃણાલીની સારાભાઇ દર્પણા એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટ્‍સનાં ફાઉન્‍ડર હતા. તેમના જીવન પર બનેલી ફિલ્‍મ ‘મૃણાલિની સારાભાઇ- ધ આર્ટિસ્‍ટ એન્‍ડ હર આર્ટ'માં તેમને એક આર્ટિસ્‍ટ તરીકે દર્શાવવામાં આવ્‍યા હતા.

પદ્મશ્રી તેમજ નેશનલ એવોર્ડ્‍સ ઉપરાંત તેમને વર્ષ ૧૯૯૭માં યુનિવર્સિટી ઓફ ઇસ્‍ટ એન્‍જલિયા નોર્વિચ, યુ.કે દ્વારા ડિગ્રી ઓફ ડોક્‍ટર ઓફ લેટર્સથી સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતાં.

ત્‍યારબાદ વર્ષ ૧૯૯૪માં તેમને સંગીત નાટક એકેડેમિ ફેલોશીપ, નવી દિલ્‍હી માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો અને ઇન્‍ટરનેશનલ ડાન્‍સ કાઉન્‍સીલ, પેરિસની એક્‍ઝિક્‍યુટિવ કમિટી માટે નોમિનેટ કરાયાં હતાં.