1. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
Ans: ફાર્બસ ગુજરાતી સભા
2. બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી?
Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
3. ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
4. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
5. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ
6. સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?
Ans: કૃષ્ણ સુદામા- 1920
7. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?
Ans: નળ સરોવર
8. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ?
Ans: મહાકાળી
9. ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
Ans: રાજભાષા
10. ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે?
Ans: કવિ ન્હાનાલાલ
11. ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે?
Ans: અમદાવાદ
12. મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી?
Ans: પાવાગઢ અને ચાંપાનેર
13. પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે?
Ans: પટોળાં
14. ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
Ans: સોમનાથ
15. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે?
Ans: આજવા તળાવ
16. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ
17. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
18. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ?
Ans: ત્રિજયાકાર
19. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?
Ans: અંધજન મંડળ-અમદાવાદ
20. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
21. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?
Ans: મેડમ ભીખાઈજી કામા
22. ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ?
Ans: સાબરમતી
23. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ?
Ans: ગોફ ગુંથન
24. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
www.alpeshpatel84.blogspot.in
25. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
26. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે?
Ans: જગન્નાથ મંદિર
27. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ?
Ans: પંચમહાલ, ખેડા, આણંદ
28. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે?
Ans: જામનગર
29. ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા?
Ans: લખપત
30. વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે
Ans: સાતમું
31. કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?
Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
32. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?
Ans: ઇ.સ.૧૯૯૭
33. ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
Ans: નવમું
34. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?
Ans: ગ્રંથાલય ખાતું
35. ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ?
Ans: ભાટચારણ
36. રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
37. શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે?
Ans: શ્રી ગુરુલીલામૃત
38. સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ?
Ans: અમદાવાદ
39. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે?
Ans: નવ વિભાગમાં
40. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે?
Ans: અલંગ
41. ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ?
Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
42. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
Ans: રાજયરંગ
43. ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ?
Ans: સોમનાથ
44. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
45. છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો.
Ans: મેદાની રમતો
46. પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
47. સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
48. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ?
Ans: મહેસાણા
49. કવિ નાકરનું વતન કયું હતું?
Ans: વડોદરા
50. બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ
alpesh patel